News of Saturday, 24th April 2021
મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા કોરોના મહામારીમાં જનસેવા માટે ૨૧ લાખનું અનુદાન: સિરામિક એસોમાં ચાલતી પ્રવૃતિઓ માટે આપ્યું અનુદાન
મોરબીમાં સિરામિક એસો દ્વારા રેપીડ ટેસ્ટ, ઓક્સીજન બોટલ સહિતની સેવા કરવામાં આવી રહી છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા એન્ટીક ગ્રેનાઈટો કંપનીમાંથી ૨૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે
સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા તેમની એન્ટીક ગ્રેનાઈટો કંપનીમાંથી મોરબી સિરામિક એસો દ્વારા ચાલતી કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ, ઓક્સીજન બોટલ સહિતની સેવાઓ તેમજ જે પણ વસ્તુ માટે જરૂરીયાત રહે તે માટે ૨૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે
(10:31 pm IST)