સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જુનાગઢમાં ત્રીજા માળેથી પટકાતા આસામના ૨૮ વર્ષના યુવાનનું મોત

રાજકોટ તા. ૨૪: જુનાગઢમાં ગાંધીગ્રામ એરિયામાં રહેતો મુળ આસામનો યુવાન રાત્રે ત્રીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુળ આસામનો માયના ગુલાબભાઇ તાહુ (ઉ.૨૮) જુનાગઢ રહી ડેરીમાં મજૂરી કરતો હતો. રાત્રે તે જ્યાં રહેતો હતો તે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. અહિ સવારે મોત નિપજ્યું હતું. મૃતકના પત્નિ સહિતના પરિવારજનો આસામ રહે છે. તેને જાણ કરવા જુનાગઢ પોલીસે તજવીજ કરી હતી.

(11:34 am IST)