સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

લીલીયામાં દિકરીના ઘરે ઉંબરેથી પડી જતાં સાવરકુંડલાના અમીનાબેન કુરેશીનું મોત

રાજકોટ તા. ૨૪: સાવરકુંડલામાં નવા બસ સ્ટેશન પાછળ કાપડીયા સોસાયટીમાં રહેતાં અમીનાબેન જમાલભાઇ કુરેશી (ઉ.૮૦) નામના વૃધ્ધા ૧૭મીએ લીલીયા ગામે પોતાની દિકરી મુમતાઝબેન હારૂનભાઇના ઘરે આટો દેવા ગયા હતાં ત્યારે ત્યાં ઉંબરા પરથી પડી જતાં ઇજા થતાં સાવરકુંડલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગઇકાલે મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર અમીનાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી સાવરકુંડલા જાણ કરી હતી. અમીનાબેન દિકરીના ઘરે ગયા ત્યારે દિકરી જમાઇ પણ અમદાવાદ પ્રસંગમાં ગયા હતાં.  બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇગયો હતો.

(11:34 am IST)