સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જામકડોરણા વિસ્તારમાં ચોરીના બનાવો અટકાવો

ધોરાજીઃ જામકંડોરણા ના ડાયાલાલ છગનભાઈ બાલધા ની વાડી ના ગોડાઉન માંથી તા ૮ /૪/ ના રોજ કોઈ  ૧૦૦ મણ ચણા ગોડાઉન ના તાડા તોડી ને લઈ ગયા હતા જે અંગે ની વકીલ મારફતે તા૧૭/ ૪ ના રોજ લેખીત મા ફરીયાદ કરાઈ હતી . જે અંગે પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવા મા ન આવતા આખરે જામકંડોરણા ના ખેડૂતો દ્વારા લેખીત  એ રજુઆત કરાઈ હતીં ચોરી જેવા ગંભીર ગુનો થવા છતાં એફ.આઈ.આર. કરવા મા આવી નથીં કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામા આવતા  આ વિસ્તાર ની સીમ મા હકાભાઈ બેચરભાઈ ની વાડી ફરી સીમ ચોરી થતાં જામકંડોરણા ના ખેડૂતો દ્વારા પોલીસ ની બેદરકારી સામે ખેડૂતો ના ગોડાઉન તુટે તેમાં જવાબદારી કોની ? તેવા સવાલો આવેદનપત્ર ના અંતે લખ્યા હતાં. પોલીસ દ્વારા તાત્કાલિક ગુન્હો દાખલ કરી આરોપી સામે કાનુની રાહે કાર્યવાહી કરી સીમચોરી ઘરફોડી અટકાવે તેવી માગણી કરાઈ હતી.(તસ્વીર, કિશોર રાઠોડ, ધોરાજી)

(11:34 am IST)