News of Monday, 23rd April 2018
પરશુરામ સેના જેતપુર દ્વારા શોભાયાત્રા
તાજેતરમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિતે જેતપુરમાં પરશુરામ સેના અને તાલુકા બ્રહ્મ પરિવાર દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જડેશ્વર મહાદેવ મંદિરેથી આરંભાઇને મુખ્ય માર્ગો પર ફરી જ્ઞાન જયોત વિદ્યાલય ખાતે સમાપન પામેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભુદેવો જોડાયા હતા. સમગ્ર આયોજન માટે પરશુરામ સેના જેતપુરના બ્રહ્મ અગ્રણી પ્રમુખ હિતેષભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકર (મો.૯૯૯૮૧ ૯૪૭૯૦), શૈલેષભાઇ જોષી, પરેશભાઇ ત્રિવેદી, જીતેન્દ્ર પંડયા, સુરેશભાઇ પંડયા, ઘનશ્યામભાઇ જોષી, હરેશભાઇ પંડયા, દિલીપભાઇ જોષી વગેરેએ જહમેત ઉઠાવી હતી.
(4:22 pm IST)