સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

ગઢડાના રણીયાળા ગામે ગાયને સમાધિ

બોટાદ : જીલ્લાના ગઢડા તાલુકાના 'રણીયાળા' ગામે એક ખેડૂતના ઘરે ગાય આજથી ૨૦ વર્ષ પહેલા વિહાણી હતી તે આજના દિવસ સુધી સવાર સાંજ બેય ટાઇમ ૮+૮ લીટર દુધ આપતી અને કઇ પણ ઇશારાથી સમજાવતી હતી તે ગાય આજના દિવસે દેવ લોક પામેલ છે. આખા રણીયાળા ગામમાં શોકનો માહોલ જોવા મળેલ ત્યારબાદ 'રણીયાળા' ગામમાં ગાયની પાલખી ફેરવીને ગામે દર્શન કરીને લાભ લીધેલ ત્યારબાદ ગાયને ખેડૂતની પોતાની માલિકની જમીનમાં તેમની હિંદુ ધર્મના રીત રીવાજે સમાધિ આપેલ છે ત્યારબાદ ગાયના માલિકે જાહેર કરેલ કે આખા 'રણીયાળા' ગામનો ગામ ધુવાડો બંધ રાખેલ છે.

(3:49 pm IST)