હોળી પહેલા દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા
પદયાત્રિકોએ દર્શન-પૂજન-અર્ચન કરીને ગોમતી નદીમાં સ્નાન કર્યુ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. આગામી તા. ર૭-૩ થી ત્રણ દિવસ દ્વારકાધીશના મંદિર બંધ થવાનું હોય ભાવિકો પદયાત્રીઓ જેઓ વર્ષોથી દર્શનાર્થે ચાલીને જવાની માનતા તથા વ્રતવાળા હોય રાત્રે ચાલીને પણ દ્વારકાધીશ મંદિરે પહોંચવા નીકળ્યા હતાં. આજે વહેલી સવારે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાવિકો દર્શનાર્થે તથા ગોમતી સ્નાનમાં ઉમટી પડયા હતાં.
ચાર ડીવાયએસપી સાથે એસ. પી. સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ મંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડા દ્વારા પ્રથમ વખત કયુ મેકર સીસ્ટમ ગોઠવીને ચુસ્ત રીતે જવા આવવા માટેની વ્યવસ્થા અલગ કરતા તથા પપ૦ જેટલા પોલીસ અધિકારી કર્મીઓનો બંદોબસ્ત ગોઠવ્યો હોય આજે વહેલી સવારે ભકતોની ભીડ છતાં સુંદર વ્યવસ્થા થઇ હતી તથા શાંતિ પુર્ણ માહોલમાં દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.