ઝઘડાખોર પતિથી કંટાળી અલગ રહેવાનું કહેનાર પત્નિના માથમાં પત્થર ઝીંકી હત્યાનો પ્રયાસ
જીવલેણ હુમલો કરનાર પતિ શંકર આદિવાસી પોલીસના સકંજામાં : કોટડાસાંગાણીનો બનાવ
રાજકોટ, તા. ર૪ : કોટડાસાંગાણીમાં ઝઘડાખોર પતિથી કંટાળી અલગ રહેવાનું કહેનાર પત્નીના માથામાં પતિએ પત્થર ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગત મુજબ કોટડાસાંગાણીમાં ધર્મેશભાઇ ભૂતની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા માદરાબેનના માથામાં પતિ શંકર પાંગળાભાઇ કટારા રે. મુળ નાહણી તા. ગરબાડાએ પત્થર ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા માહરાબેનને જીવલેણ ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ પતિશંકરના ઝઘડાખોર સ્વભાવની કંટાળી પત્નિ માહરાબેને તેનાથી અલગ થવાનું કહેતા પતિ શંકરએ ઉશ્કેરાઇ જઇ પત્નીના માથામાં પત્થર ઝીંકી દિધો હતો. આ અંગે ઇજાગ્રસ્ત માહરાબેનના ભાઇ સોમાભાઇ આદિવાસીની ફરીયાદ ઉપરથી કોટડાસાંગાણી પોલીસે પતિ શંકર સામે આઇ.પી.સી. ૩૦૭ તથા જીપી એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. કોટડાસાંગાણીના પી.એસ.આઇ. વી.કે. ગોવલેકર તથા રાઇટર ક્રિપાલસિંહ સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ હત્યાનો પ્રયાસ કરનાર પતિ શંકરને દબોચી લીધો હતો. આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની તજવીજ હાથ ધરાઇ છે.