સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th March 2021

કેનાલમાં ફસાયેલ નીલ ગાયને બચાવી

મોરબી : મોરબીના નાની વાવડી ગામ નજીક કબીર આશ્રમ પાસેની કેનાલમાં નીલગાય પાણી પીવા કેનાલમાં જતા લપસી કેનાલમાં ખાબકી હતી જેને બચાવવા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ યદુનંદન ગૌશાળાનો સંપર્ક કરી મૃત્યુને આરે પહોંચેલ નીલગાયને બચાવી લેવાઈ હતી. ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલ, ફોરેસ્ટ વિભાગના ગોહિલ, વાળા અને રીટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર ગોગર ઉપરાંત યદુનંદન ગૌશાળાના કાનાભાઈ અને તેના સ્ટાફે નીલગાયને બચાવવા જાનના જોખમે જહેમત ઉઠાવી હતી અને હેમખેમ બહાર કાઢી જંગલમાં મુકવા માટેની વ્યવસ્થા કરી હતી. અબોલ જીવો અવારનવાર કેનાલમાં ખાબકતા હોય છે જેથી જોવ જોખમમાં મુકાય છે જેથી જંગલી પશુઓ તેમજ ગાય ભેંસ જેવા અબોલ જીવો કેનાલમાં ના પડે તે માટે બંને તરફ કાંટાળી વાડ કરવા રજૂઆત કરવા પણ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. કેનાલમાં ફસાયેલી નીલગાયની તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:41 am IST)