સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th March 2021

મેંદરડામાં પૂ. સુખરામદાસબાપુ અને સર્વજ્ઞાતિય આગેવાનો દ્વારા આવેદન

જૂનાગઢઃ જેતલસરની સગીરાની હત્યા કરનારને આકરામાં આકરી દાખલારૂપ સજા કરવાની માંગ સાથે મેંદરડાની ખાખી મઢી રામજી મંદિરના મહંત પૂ. સુખરામદાસજી બાપુની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મનમંદિર ગ્રુપ મેંદરડા લેઉવા પટેલ સમાજ અને સર્વજ્ઞાતિય આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા રેલી યોજી મામલતદારશ્રીને આવેદન આપ્યુ હતું અને ગુનેગારને સખ્ત નશિયત પહોંચાડવા રોષપૂર્ણ માંગ કરી હતી અને આવી ઘટના ન ઘટે તે માટે સરકારશ્રીને રજૂઆત કરી હતી (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(11:30 am IST)