રાજકોટ : સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરાના આકરા તેવર: ટિકિટ ન મળતા હું પક્ષનાં નેતાઓને રજુઆત પણ નહીં કરૂ : પક્ષને દબંગગીરી કરતા નેતાઓ નહીં માફક આવતા : હું મારા સમાજનો દબંગ નેતા છું
રાજકોટ :સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરાઅે પોતાને સાંસદ તરીકેની લોકસભા બેઠક માટે ટિકીટ નહીં મળતા તેમને આકરાર મિજાજ સાથે સ્ફોટક નિવેદન કરતા કહ્યું છે કે ભાજપને સમાજનાં દબંગ નેતાઓની જરૂર નહી. હું મારા સમાજનો દબંગ નેતા છું મને સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપીશ, સમાજ કહેશે તો ભાજપને હરાવવા મેદાન પડો તો હું કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરીશ તેવા આકરા તેવર સાથે દેવજીભાઇ ફતેપરાઅે જણાવ્યું હતું. તેઓને વધુમાં અેમ પણ કહ્યું હતું કે ટિકિટ ન મળતા બદલ હું પક્ષનાં નેતાઓને રજુઆત પણ નહીં કરૂ.
છેલ્લે છેલ્લે દેવજીભાઇઅે મારા તરફી ૭પ ટકા સેન્સ હોવા છતાં મને ટિકીટ ન આપી જયંતી કવાડિયા અને ધનજી પટેલે
મહેન્દ્રભાઈને ટિકિટ અપાવી છે તેમ અંતમાં કહ્યું હતું.