News of Saturday, 24th March 2018
પોરબંદરની શાળામાં બાળકીને માર માર્યાના બનાવ સામે એનએસયુઆઇ દ્વારા રજૂઆત
પોરબંદર તા. ર૪ :.. અહીં એમઇએમ સ્કુલમાં શિક્ષિકાએ બાળકીને માર મારવાના બનાવમાં એનએસયુઆઇના આગેવાનોએ રોષ વ્યકત કરીને આ બનાવની તપાસ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
માર મારેલ બાળકીના માતા-પિતાના જણાવ્યા મુજબ શિક્ષીકાએ ફી ભરી નથી તેવુ બહાનુ કાઢીને માર માર્યો હતો બાળકીને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ બાબતે શાળામાં રજૂઆત કરતા સંતોષકારક જવાબો મળ્યા નહોતાં. (પ-૧૩)
(1:00 pm IST)