જસદણના લીલાપુરમાં વિજશોક લાગતા ખેડૂત હિતેષ રામાણીનું મોત
છ માસ પૂર્વે પત્નીના મોત બાદ પતિનું પણ આકસ્મીક મોત થતા ત્રણ સંતાનો નોધારા થઇ જતા અરેરાટી
જસદણ, તા. ર૪ : તાલુકાના લીલાપર ગામે વિજ શોકની ખેડૂતનું મોત થયું હતું. બનાવની કરૂણતા એ છે કે છ માસ પૂર્વે જ ખેડૂતની પત્નીના મોત બાદ તેનું પણ મોત થતા ત્રણ સંતાનો નોંધારા થઇ ગયા છે.
મળતી વિગતો મુ જબ જસદણના લીલાપુર ગામના નાના ખેડૂૂત હિતેષભાઇ ખીમજીભાઇ રામાણી (ઉ.વ.૩૪) ગત તા. ૧૯ રોજ પોતાની વાડીએ તેની કામ કરતા ખેતી માંથી પ્રસાર થતી ઇલેવન કેવી, વિજલાઇનના કેબલ વાઇર જમીન ઉપર તૂટેલાને અડી જતા જોરદાર વિજ કરંટ લાગવાથી સ્થળ ઉર મૃત્યુ પામતા લીલાપુર ગામમાં અનેસમગ્ર રામાણી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ.
મરનારના પત્ની સ્વ. મનીષાબેન છ માસ પેલા ગુજરી જતા તેમના સંતાનમાં પુત્ર ધૃવી વર્ષ ૧૦. પુત્રી ક્રિષ્ના વર્ષ ૭. પુત્ર ગ્રંથ વર્ષ ર. ત્રણેય બાળકોએ નાની ઉંમરમાં મા-બાપની છત્રછાયા ગુમાવતા સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. (૯.૬)