સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

રાજકોટ જેલના ફરાર કેદીને જેતપુરમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જેલના ફરાર કેદીને જેતપુરમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી નાસી ગયેલ કાચા કામના કેદી અમીન હુશેનભાઇ આરબ રે. જેતપુરને જેતપુરના નવાગઢમાંથી દબોચી લઇ જેલમાં ધકેલી દિધો હતો. આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. મહમદ રફીકભાઇ ચૌહાણ, વિરરાજભાઇ ધાંધલ, પ્રભાતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સોલંકી, રાયધનભાઇ તથા વિરમભાઇ સામૈયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(2:44 pm IST)