સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથના તાલાલા સહીત ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે

(દિપક તન્ના દ્વારા) તાલાલા : સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા  ગીર સોમનાથ જિલ્લા ની મુલાકાતે આવ્યા હતા. ગીર ગઢડા, જામવાળા ગીર, આંકોલવાડી, સુરવા, ધાવા, બોરવાવ, ઘુસીયા, સોમનાથ અને વેરાવળ એ મુલાકાત લીધી અને કાર્યકરો સાથે બેઠક કરી હતી તેમજ ગીર ગઢડા તથા વેરાવળ ખાતે જાહેર સભા સંબોધી હતી તેમની સાથે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી  જવાહરભાઇ ચાવડા, સાંસદ  રાજેશભાઇ ચુડાસમા તેમજ જવેરીભાઈ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, ભરતભાઈ વાળા સહીત ના આગેવાનો જોડાયા હતા.

(12:06 pm IST)