સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

લોજ સ્વામિનારાયણ મંદિરનો એકલાખ અગિયાર હજારનો ફાળો

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ : ૅંહિન્દુ ધર્મ નું આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યામાં નવનિર્માણ પામવા જઈ રહેલ રામ મંદિર ના નિર્માણ માં સૌ કોઈ યથા શકિત પોતાનું યોગદાન આપી રહ્યું છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર લોજ દ્વારા શ્રી ચૈતન્ય સ્વામી ની તથા કોઠારી સ્વામી ની પ્રેરણા થી શ્રીરામ મંદિર ના નિર્માણ માટે ૧,૧૧૦૦૦.૦૦ ના ફાળનો ચેક શ્નઊડજીક રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમર્પણ નિધિ ને અર્પણ કરેલ આ પ્રસંગે વેજાભાઈ ચાંડેરા, બાબુભાઇ વાજા ધારાસભ્ય, ભગવાનજી ભાઈ કરગઠીયા, વિનુ ભાઈ મેસવાણીયા તથા સ્વામી મંદિર ના હિસાબનીશ દિનેશભાઈ કાનાબાર હાજર રહ્યા હતા.

(12:03 pm IST)