સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

રાજ્યની છ મહાનગર પાલીકાઓમાં ભાજપના વિજયનાં વધામણાં કરતા સાવરકુંડલાના અગ્રણીઓ

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૨૪: રાજયની છ મહાનગર પાલીકાઓની ચુંટણીના ૫રિણામો જાહેર થતા તમામ છ મહાનગર પાલીકાની ચુંટણીમાં ભાજ૫ને ભવ્ય વિજય વધાવ્યો હતો.

સાવરકુંડલા વિસ્તારના ભાજ૫ના અગ્રણીઓ દિ૫કભાઇ માલાણી- ચેરમેન એ.પી.એમ.સી. સાવરકુંડલા તેમજ તાલુકામાં ભાજ૫ ના સ્થા૫ક સભ્યો પૈકીના કહેવાય એટલા જુના અને પીઢ અગ્રણી અને એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મનજીભાઇ તળાવીયા-, તથા તાલુકા પંચાયતના પુર્વ ઉ૫પ્રમુખ, ભાજ૫ની સ્થા૫ના વખતના બારોબારી સભ્ય અને જુના કાર્યકર મંગળુભાઇ ખુમાણ, માર્કેટયાર્ડના ડીરેકટરઓ જસુભાઇ ખુમાણ, અશ્વીનભાઇ માલાણી, ચેતનભાઇ માલાણી , સતીષ મહેતા સહીત તાલુકાના અગ્રણીઓએ મીઠાઇ વહેંચી મો મીઠા કરાવી રાજયની છ મહાનગર પાલીકાઓમાં ભાજ૫ની ભવ્ય વિજયના વધામણાં કરી અભિનંદન પાઠવી ખુશી વ્યકત કરી.

(10:16 am IST)