સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

જામનગરમાં તળાવની પાળ દિગ્વિજય પ્લોટમાં વિજય ભટ્ટ નામના પૌઢની હત્યા : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : ઘર કંકાસ કારણભુત હોવાનું પ્રાથમિક તારણ

જામનગરઃ જામનગરમાં તળાવની પાળ દિગ્વિજય પ્લોટ ૧૨ નંબર વિસ્તારમાં વિજય ભટ્ટ નામના પ્રૌઢની સરાજાહેર હત્યા થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામગનર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ રમેશભાઈ ભટ્ટ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સંજયભાઈના મોટા બાપુ વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ પોતાની દિકરી ફાલ્ગુનીબેનના ઘરે પોતાના દિકરા સચીનભાઈના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે ગયેલ હોય અને આ કામેના આરોપી મનિષભાઈ સુરેશચંદ્ર જાની  સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હોય જેથી પોતાની પત્નિ સાહેદ ફાલ્ગુનીબેનને વાસ્તના પ્રસંગમાં જવા દેવા ન માંગતા હોય જે બાબતે આરોપી મનીષભાઈ જાનીએ ફરીયાદી સંજયભાઈના મોટાબાપુ વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ સાથે તળાવની પાળ દિગ્વીજય પ્લોટ શેરી નં.૧ર શ્રીનાથજી એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર જામનગરમાં બોલાચાલી કરી માથાના ભાગે ઈંટના ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:47 pm IST)