જુનાગઢમાં યાર્ડનું ફરી સુકાન સંભાળતા ભીખાભાઇ
જુનાગઢઃઅહીયા માર્કેટીંગ યાર્ડની બીજી ટર્મ માટે પણ ભીખાભાઇ ગજેરા ફરી ચેરમેન તરીકે બીનહરીફ ચૂંટાતા સુકાન સંભાળ્યું હતું. આ તકે તેમણે જણાવેલ કે, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રભારી ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી ભીખાભાઇ દલસાણીયા, જીલ્લા સહકારી બેંકના ચેરમેન એલ. ટી. રાજાણી, એમ. ડી. દીનેશભાઇ ખટારીયા, જુનાગઢ જીલ્લા પ્રમુખ કીરીટભાઇ પટેલ, મહાનગર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, તાલુકા પ્રમુખ નીલેશભાઇ ચોથાણી, ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, અને યાર્ડના તમામ ડીરેકટર સાથી મિત્રો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓના સાથ -સહકાર અને લાગણીથી ફરી ચેરમેનપદે બીનહરીફ થયા છે. તસ્વીરોમાં નવનિયુકત હોદેદારોને હારતોરા કરી આવકારતા અગ્રણીઓ દર્શાય છે.