બાબરાના ગરણીમાં વૃધ્ધની હત્યા કરીને મૃતદેહ સળગાવી નાખ્યો
ગોડાઉનમાં પડેલ કપાસ પણ સળગાવી નાંખ્યોઃ મૃતક આ શખ્સોને ઓળખી જતા હત્યા કર્યાનું પ્રાથમિક તારણ
કોટડાપીઠા : તસ્વીરમાં ખેડૂતનો મૃતદેહ, સળગાવેલ કપાસ તથા ગોડાઉન નજરે પડે છે. (તસ્વીર : ભરત મહેતા - કોટડાપીઠા)
(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા તા. ર૩ :.. બાબરા તાલુકાના ગરણી ગામે આજે વહેલી સવારે પટેલ વૃધ્ધની હત્યા કરી સળગાવી નાખેલી લાશ મળી આવતા લોકો અને પોલીસ સ્થળ પર દોડી ગયા છે ગરણી ગામના પટેલ વૃધ્ધ કલાભાઇ માધાભાઇ કલકાણીનું ગોડાઉનમાં કપાસ પડયો હતો આ કપાસ કોઇએ સળગાવી અને તેમાં આ પટેલ વૃધ્ધને નાખી મોત નિપજાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને જણાતા પોલીસને જાણ કરાઇ છે.
આ કપાસ સળગાવી દેનારને ઓળખી જતા વૃધ્ધની હત્યા થઇ છે કે પછી ચોરી કે લૂંટના ઇરાદ આવેલા લોકોએ હત્યા કરી છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાબરા તાલુકાનાં કોટડા ગરણી ગામે જીવાપરના રસ્તે ગચરી ગામનાં ખેડૂત કલાભાઇ માત્રાભાઇ કલકાણી (ઉ.૭૦) ની તા.રર ની મધરાત્રે વાડીએ રૂમમાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતકની લાશ બહાર ફેંકી દીધેલ ત્યારે ગોડાઉનમાં આગ ચાપી દેતા કપાસ, મગફળી, ડીઝલ છાંટીને સળગાવી દીધેલ છે. અને લાખોનું નુકશાન કરેલ છે.
પ્રાથમિક અહેવાલ મુજબ મૃતક ખેડૂત કલાભાઇ કળમણી આ શખ્સોને ઓળખી જતા તેમની હત્યા કરાયાનું જણાય છે. હત્યા કરયા બાદ ગોડાઉનને તાળા મારી ચાવી મૃતકનાં ખીસ્સામાં રાખી દીધેલ. આગ લાગવાથી જસદણથી ફાયર બ્રીગેડ આવેલ અને આગને ઠારેલ પોલીસ ખાતુ પહોંચેલ છે. આગળની તપાસ ચાલુ છે.