ભાવનગરના ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીને મંત્રી પદ મળશે ?
ગારીયાધાર તા.ર૩: ગારીયાધાર-જેસર-બગદાણા વિધાનસભા ૧૦૧ બેઠક પરના ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય ગણાતા કેશુભાઇ હિરજીભાઇ નાકરાણી સતત છઠ્ઠી વખત વિજયી થતા ભાજપા દ્વારા તેમને મિનિસ્ટર પદે સ્વીકાર કરશે કે નહીં તેવી સમગ્ર ગારીયાધાર પંથક ઉપરાંત જેસર, સુરત અને સમગ્ર જીલ્લા ભાજપમાં ચર્ચાઓ થઇ રહી છે.
કેશુભાઇ નાકરાણી દ્વારા વર્ષોથી ધારાસભ્ય પદ જાળવી રાખવામાં સફળ થયા છે. સતત પ્રજાની વચ્ચે રહીને કામ કરતા હોવાથી સમગ્ર શહેરીજનોમાં ભારે ચણભણાટ થવા પામ્યો છે.
જયારે સુરત સ્થિત ગારીયાધારાની ઉદ્યોગપતિઓ દ્વારા કેશુભાઇ નાકરાણી માટે મિનિસ્ટર પદ લાવવા લોબીંગ ચાલી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચહલ-પહલ જોવાઇ રહી છે પરંતુ ભાવનગર જીલ્લામાં અન્ય કદાવર નેતાઓ પણ રેસમાં હોવાથી ભાજપા દ્વારા કયાં નિર્ણયો પર મહોર મરાઇ છે તે જોવું રહ્યું.