સાવરકુંડલામાં તેજાબ છાંટીને હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા
મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચેની અથડામણમાં ૬ થી ૭ વ્યકિતઓને ઇજા
(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૩ : સાવરકુંડલામાં નજીવી બાબતે મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે મારામારીમાં મુસ્લિમ યુવાનની તેજાબ છાંટયા બાદ હથિયારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઉપરાંત ૬ થી ૭ વ્યકિતને ઇજાઓ થયેલ હતી.
આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે સાવરકુંડલાના નદી અને નેરા વિસ્તારમાં બે મુસ્લિમ સમાજના જૂથ વચ્ચે જૂના મનદુઃખના કારણે ગઈકાલે મારા મારીમા જાહિદ હારૂનભાઈ શેખની હત્યા થયેલ અને બે જણને ગંભીર ઇજાઓ થયેલ હતી.
આ પ્રકરણમાં પોલીસે અયુબ ઉર્ફે અકની ઉસ્માનભાઇ ચૌહાણ, ઉસ્માનભાઇ કાસમભાઇ ચૌહાણ, અફસાનાબેન ઉર્ફે કાટી રહીમભાઇ ચૌહાણ અને ઇરફાન ઉર્ફે ઘડીયાળી યુનુસભાઇ વાઘેલા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ હત્યા પ્રકરણમાં ૬ થી ૭ વ્યકિતઓને ઇજાઓ થયેલ હતી. આ અંગેની પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.