સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

સુરેન્દ્રનગરનાં વેગડવાવ હનુમાનજી મંદિરના મહંતનુંનિધન

વઢવાણ : વેગડવાવ ગામે આવેલ ખીજડીયા હનુમાનજી મંદિરના મહંત રામચંદ્રદાસજી બાપુ ૯૩ વર્ષની ઉંમરે દેવલોક પામતાં હળવદ તેમજ નવા વેગડવાવ અને જુના વેગડવાવ સહિતના આસપાસના ગામોનો ભકતોમા શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે નવા વેગડવાવ  જુના વેગડવાવ ગામના લોકો દ્વારા હનુમાનજી મંદિરથી  ગામમાં પાલખીયાત્રા નું આયોજન કર્યું હતું  ત્યાર બાદ મહંત ની સમાધિ આપવામાં આવી હતી પાલખીયાત્રાને દર્શન કરવા માટે હળવદ  જુના વેગડવાવ નવા  વેગડવાવ માલણીયાદ બુટવડા તેમજ આજુબાજુના  ખેડૂતો ઓ વેપારીઓ મહિલાઓ યુવાનો  સહિતના  સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)