સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જેસરના સનાળા ગામે ૪૮ હજારની મત્તાની ચોરી

ભાવનગર, તા. ૨૩ :. સનાળા ગામે તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી રૂ. ૪૮ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.

વિગતો મુજબ જીલ્લાના જેસર તાલુકાના સનાળા ગામે રહેતા સુરૂભા મંગળસિંહ સરવૈયાના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રૂ. ૪૮ હજારની રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે જેસર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)