સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd November 2019

જુનાગઢમાં બંધ મકાનમાંથી રૂ. ૭૦ હજારની મતાની ચોરી

જુનાગઢ, તા., ર૩: જુનાગઢમાં જોશીપરાના ખલીલપુર રોડ ખાતેની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જમનભાઇ રવજીભાઇ ગોંડલીયા (ઉ.વ.પ૧) તા.૧૯ થી તા.રર દરમ્યાન પરીવાર સાથે બહારગામ ગયા હતા.

ત્યારે ગઇકાલે બપોરે ઘરે પરત ફરતા તસ્કરો મકાનના દરવાજાનો લોક તોડીને ઘરમાં ખાબકયા હોવાનું માલુમ પડયું હતું.

તસ્કરો સોનાનો પેડલ સેટ, સોનાની ચેન, બે જોડી બુટી, સોનાના દાણા તેમજ ચાંદીના સાકળા ઉપરાંત રૂ. ૩૦ હજારની રોકડ સહિત કુલ રૂ. ૭૦ હજારનો મુદામાલ ચોરી ગયા હતા.

આ અંગેની જાણ થતા બી ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ વી.કે.ડાકી ચલાવી રહયા છે.

(12:51 pm IST)