રાજગોર બ્રાહ્મણ યુવા પ્રતિનિધિમંડળ મુકતાનંદ બાપુની મુલાકાતે
જુનાગઢઃ ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાલયના શિલ્પી એવમ્ ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદ બાપુ સાથે રાજગોર વેવિશાળ હેલ્પ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ વેવિશાળ ડિરેકટરી બાબતે ચર્ચા-વિચારણા તથા આશીર્વાદ લેવા તેમજ તૈયાર થઈ ગયેલી વેવિશાળ ડિરેકટરીની વિમોચન વિધિ બાબતે બ્રહ્માનંદ ધામ આશ્રમે આવેલ. ત્યારે પૂ.બાપુએ પોતાના ક્રાંતિકારી વિચારો જણાવેલ.
પૂ. બાપુએ જણાવેલ કે આ વિમોચન પ્રસંગે સમાજને અનુકૂળ અને આપણા સહિયારા વિચારોના આદાન-પ્રદાન સાથે તા.૨૧-૧૧-૨૦૨૧ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ આશ્રમના પરિસરમાં તૈયાર થઈ ગયેલી રાજગોર બ્રાહ્મણ વેવિશાળ ડિરેકટરીની વિમોચન વિધિ કાર્યક્રમ યોજવા હું સંમતિ આપું છું.
પૂ.બાપુએ સાથે જણાવેલ કે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓથી જ સમાજ વિકસે છે. આવી સુંદર વિચાર ગોષ્ટી બાદ આશીર્વાદ મેળવતા ભુપતભાઈ મહેતા, અજયભાઈ તેરૈયા, અશોકભાઈ જોશી, ભાનુભાઈ જોશી,ગિજુભાઈ વિકમા, પ્રશાંતભાઈ મહેતા, રાજેશભાઈ બામટા, કિરીટભાઈ ભરાડ ,મેહુલભાઈ મહેતા , કિશનભાઇ તેરૈયા, દેવાંગભાઈ રવિયા, વિજયભાઈ તેરૈયા, સી. વી. જોશી. છે.
અંતમાં સંસ્થાના બાંધકામ સુપરવાઇઝર તેમજ ભોજનાલયના જવાબદાર ચંદુભાઈ જોશીએ તમામ મહેમાનોને પ્રસાદ લેવાની વ્યવસ્થા કરેલ.