સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd October 2021

ખીરસરામાં શરદપૂનમે રાસ ઉત્સવ

 ખીરસરા : પ્રાચિન ગરબી મંડળ ની બાળાઓ દ્વારા સ્વામી નારાયણ મંદિર તેમજ રામજી મંદિર ચોકમાં શરદ પુનમની રઢીયાળી રાતે મા દુર્ગા અંબાજીના ગરબા સાથે રાસ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ તેમજ દાતોઓ તેમજ ગામ લોકોના સહયોગથી ૪૫ દિકરીઓને ગરબીની ફિનો એક પૈસો લીધા વિના નવદિવસની લાગણી તેમજ શરદ પુનમના ગરબા મહોત્સવમા મોટી લાણીમા મિકચર બ્લેન્ડર કુકર ચિલીગ મશીન તેમજ ડિનરસેટ આપવામાં આવેલ બાળાઓ દ્વારા શરદ પુનમ ની રાતે માતાજી જંગદબાની આરાધના સ્વરૂપે ગરબા મહોત્સવની ઉજવણી કરી આવતું વર્ષ દેશ માટે રોગ મુકત જાય તેવી પ્રાર્થના કરેલ અને બાળાઓને રાસની ટ્રેનિંગ થી લઈને ગરબા ગાવા સુધીની તમામ તૈયારી ઓ રાજેશભાઈ સોલંકી એ કરેલ તેમજ યુવા મિત્રો આગેવાનો તેમજ ગ્રામજનો નવરાત્રીથી લઈને શરદ પુનમના રાસ ઉત્સવ સુધી અને સહકાર મળી રહેલ. રાસ ઉત્સવમાં જોડાયેલી બાળાઓની તસ્વીર.

(10:23 am IST)