સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd October 2021

ગિરનાર ઉપર અંબાજી મંદિર પરિસરમાં સફાઇ અભિયાનઃ

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર પરિસરમાં સવારથી સફાઇ અભિયાન શરૂ કરાયું છે. ગિરનાર પર્વત ઉપર ઉષા બ્રેકો ગિરનાર રોપ વે ઉડતખટોલાના મેનેજર ઘનશ્યામ પટેલ તથા પિયુષ પટેલ પણ આ અભિયાનમાં જોડાયા હતા. તેમજ ધી લીયોફર્ન રિસોર્ટના વિપુલભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ તેમનો સ્ટાફ પણ અંબાજી મંદિર પરિસર અને ગોરખનાથની ટૂક સુધી સઘન સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. અને ગિરનારને કલીન અને ગ્રીન તથા પ્લાસ્ટીક મુકત કરવાના અભિયાનથી યાત્રીકોમાં મેસેજ આપ્યો હતો. તસ્વીરમાં સફાઇ અભિયાન કરતા ગિરનાર રોપ-વેના મેનેજર ઘનશ્યામ પટેલ સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(10:22 am IST)