News of Wednesday, 23rd October 2019
મનીષ સંઘાણી કૃભકો ડેલીગેટ્ તરીકે બિનહરીફ વરણીને આવકારતા આગેવાનો
સહકારીક્ષેત્રે યુવા શકિતનું પદાપર્ણ કૃષિ-ગ્રામ વિકાસ રાજય સહકારી સંસ્થાના પ્રતિનિધિ તરીકે : સરદાર પટેલ ગ્રુપ સહિત સહકારી આગેવાનો, મિત્રો, શુભેચ્છકોએ પાઠવી શુભકામના
અમરેલી તા.ર૩ : સહકારી ક્ષેત્રે ખુબજ નાની ઉંમરે યોગદાન આપી રહેલ અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણી ગાંધીનગર સ્થિત કૃષિ અને ગ્રામ વિકાસ રાજય સહકારી સંસ્થાના પ્રતિનિધિ તરીકે આજરોજ કૃભકોના બિનહરીફ ડેલીગેટસ તરીકે ચુંટાયેલા જાહેર થતા તેમના અસંખ્ય પ્રશંસકો મિત્રો શુભેચ્છકો સહિત સહકારી આગેવાનોએ શુભકામના પાઠવી છે.
સંઘાણી સહકારી અને યુવા પ્રવૃતિ સાથે સંનિષ્ઠ રીતે સંકળાયેલા છે. સહકારી ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહયા છે તેવા સમયે કૃભકોમાં તેમની બિનહરીફ વરણી તેમની કાર્યશૈલીનો પરિચય આપનાર હોય, સહકારી ક્ષેત્રે તેમના યોગદાને સરદાર પટેલ ગૃહ સહિત સૌએ આવકારી હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયેલ છે.
(1:17 pm IST)