સુરેન્દ્રનગરના હંસાબેન કોળીએ સળગીને જિંદગી ટૂંકાવી લીધી
રાજકોટ તા. ૨૩: સુરેન્દ્રનગરના કોળી મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ પંચમુખી હનુમાનજી મંદિર પાછળ મફતીયાપરામાં રહેતાં હંસાબેન પ્રહલાદભાઇ કુમારખાણીયા (ઉ.૪૫)એ સાંજે ચારેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજી જીઆઇડીસીમાં કારખાનામાં બેભાન થતાં મુકેશ જાદવનું મોત
રાજકોટ તા. ૨૩: કેવડવાડી શેરી નં. ૭માં દિપક ખમણવાળી શેરીમાં રહેતો મુકેશભાઇ નટવરલાલ જાદવ (ઉ.૩૮) નામનો રજપૂત યુવાન આજી જીઆઇડીસી બાવીસી વે બ્રીજ સામે ગરીમા ગ્લોબલ પ્રા.લિ. નજીક કારખાનામાં હતો ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક અપરિણીત હતો અને પરિવારમાં ત્રણ ભાઇઓ છે.
હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ થોરાળા પોલીસને જાણ કરતાં એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
શાષાીમેદાનમાંથી બાઇક અને ચિત્રકુટ સોસાયટીમાંથી એક્ટીવાની ઉઠાંતરી
રાજકોટ તા. ૨૩: અંકુર વિદ્યાલય પાછળ કડીયાનગર-૩માં રહેતાં સુજલ ગણેશભાઇ ચીકાણી (ઉ.૧૯)નું હોન્ડા જીજે૩સીએન-૭૧૫૫ રૂા. ૧૫ હજારનું કોઇ શાષાી મેદાનમાં પાર્કિંગ પાસેથી કોઇ ચોરી જતાં એ-ડિવીઝનના પીએસઆઇ એ. વી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કેવડાવાડી-૧૯માં રહેતાં મનોજભાઇ કાંતિભાઇ સેજપાલ (ઉ.૪૪)નું એક્ટીવા જીજે૩જેએસ-૪૪૨૪ રૂા. ૩૫ હજારનું કોઇ ચિત્રકુટ સોસાયટી-૧માં અવધ મકાન સામેથી ચોરી જતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.