News of Tuesday, 23rd October 2018
સૌરાષ્ટ્ર-કચ્છમાં તલાટી મંત્રીઓની હડતાલનો બીજો દિ'
સરકાર સામે આક્રોશઃ અણઉકેલ પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માંગણીઃ ગ્રામ્ય વિસ્તારોમાં અરજદારો હેરાન
રાજકોટ તા. ર૩ :.. રાજયમાં તલાટી મંત્રીઓ દ્વારા ગઇકાલ સોમવારથી અચોકકસ મુદતની હડતાલના મંડાણ કર્યા છે આજે આ હડતાલનો બીજો દિવસ છે. અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ તલાટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અચોકકસ મુદતની હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અરજદારો હેરાન થઇ રહ્યા છે.
સાવરકુંડલા
સાવરકુંડલા : તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાભરના ખળભળાટ મચી જવા પામેલ છે.
તલાટી કમ મંત્રીઓની વિવિધ માગણીઓનાં સરકાર સ્વીકાર ન કરતા સાવરકુંડલાના તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. અને ચાવીઓ સ્ટેમ્પો વિગેરે ચીજ વસ્તુઓ એ. ટીડીઓને સોંપી આપેલ હતું.
(3:42 pm IST)