સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાવનગરના ચિત્ર આર્ટીસ્ટ નયના પટેલને એવોર્ડ એનાયત

ભાવનગર તા.૨૩ : આર્ટીસ્ટ નયના પટેલે હરિયાણાના રેવારી શહેરમાં લાઇવ પેઇન્ટીંગ કરીને ત્યાની કલાકારોને જાણકારી આપી હતી.

દેશમાંથી ફકત ૩૦ કલાકારોની પસંદગી નટરાજ આર્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી હતી. તેમાં નયના પટેલનો સમાવેશ થયો હતો. તેમણે લાઇવ પેઇન્ટીંગ કરીને ત્યાં પ્રદર્શન માટે મુકયુ હતુ. જે હરિયાણાની પ્રજામાં આર્કષણનું કેન્દ્ર બન્યુ હતુ. આ પેઇન્ટીંગ બનાવવા બદલ તેમનું એવોર્ડ આપીને સન્માન કરાયુ હતુ.

(1:02 pm IST)