સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

માણાવદરની લૂંટ સંદર્ભે જૂનાગઢમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા વાહન ચેકીંગ

 જૂનાગઢ તા. ૨૩ : માણાવદરની લૂંટના સંદર્ભે જુનાગઢમાં રાત્રે ક્રાઇમ બ્રાંચે વાહન ચેકીંગ કર્યું હતું.

માણાવદર પાસે રાત્રે આંગડીયા સંચાલક યોગેશ ગોંધીયા ઉપર હુમલો કરી રૂા. ૨૦ થી ૨૫ લાખની રોકડના થેલાની થયેલી લૂંટના પગલે એસ.પી. સૌરભસિંઘની સૂચનાથી એલસીબીના પી.આઇ. આર.કે.ગોહિલે રાત્રે સ્‍ટાફ સાથે જૂનાગઢમાં વાહન ચેકીંગ કર્યું હતું. શહેરમાં મજેવડી દરવાજા વગેરે ખાતે ક્રાઇમ બ્રાંચે સઘન વાહન ચેકીંગ કરીને તપાસ હાથ ધરી હતી.

(12:47 pm IST)