જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે શરદ પૂર્ણીમા નિમિતે પૂ.જેન્તીરામબાપાનો સત્સંગ અને હેમંતભાઇ ચૌહાણની સંતવાણી
જૂનાગઢ તા. ર૩ :.. જામજોધપુર થી ર૧ કી. મી.ના અંતરે આવેલ ધુનડાના સંત પુરણધામ આશ્રમ ખાતે તા. ર૪ ને બુધવારના રોજ શરદ પુર્ણીમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે.
જેમાં આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તીરામબાપા દ્વારા ભજન-સત્સંગ દ્વારા આજના ભાગદોડના જીવન શાંતિમય જીવન જીવતા અને તનાવ મુકત સતત પ્રસન્ન અવસ્થામાં આનંદમય જીવન કેવી રીતે જીવાય અને નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કઇ રીતે થાય તેનુ અનુભવ ગત માર્ગદર્શન પૂ. જેન્તીરામબાપા સત્સંગ દ્વારા આપશે તેમજ આધી-વ્યાધી અને ઉપાધીમાંથી મુકત થઇ પરમાત્માનું દર્શન અનુભુતિ કેમ થાય તે અંગે વિગતવાર સંપ પરિવારના સંત્સંગી પરિવારોનો જણાવશે. આ શરદ પુર્ણિમમા પ્રસંગે સુપ્રસિધ્ધ લોક ગાયક ભજનીક હેમતભાઇ ચૌહાણની રાત્રે ૯.૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તો સત્સંગ પ્રેમી જનતાને લાભ લેવા આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ અને શાષાી ભાવેશભાઇ શીલુ એ સંત પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.