News of Tuesday, 23rd October 2018
ખાંભા નજીક ખડધાર વિસ્તારમાં વધુ 3 બાળસિંહના મૃતદેહ મળ્યા
એક નીલગાયનો સિંહોએ શિકાર કરેલો મૃતદેહ પણ મળ્યો
ખાંભા નજીકના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી ત્રણ સિંહ બાળના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે વન વિભાગે ત્રણેય સિંહબાળના મોત ઇનફાઇટમાં થયા હોવાનું પ્રાથમિક અનુમાન કર્યું છે
મૃતદેહ નજીકથી એક નીલગાયનો સિંહોએ શિકાર કરેલો મૃતદેહ પણ મળ્યો. ત્રણેય સિંહબાળનું પેનલ ડોક્ટરે પોસ્ટ મોર્ટમ કર્યું.હતું
અત્રે ઉલેલ્ખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં એક બાદ એક 23 સિંહોના મોતથી ચકચાર મચી છે. તેવામાં ત્રણ સિંહબાળના મોતથી પર્યાવરણ પ્રેમીઓને વધુ આઘાત લાગ્યો છે
(11:05 pm IST)