સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

જુનાગઢ ગિરનાર અંબાજી મંદિરના દર્શનાર્થે પુ.શેરનાથ બાપુ

જુનાગઢઃ ગિરનાર પર્વત સ્‍થિત અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે શિવગોરક્ષ આશ્રમના મહંત પુ.શેરનાથ બાપુ રોપવે મારફત પધાર્યા હતા. ત્‍યારે મંદિરના મહંત પુ.તનસુખગીરી બાપુ વતી ટ્રસ્‍ટી દ્વારા પુ.શેરનાથ બાપુ તથા પાળીયાદના ભયલુભાઇનું માતાજીની ચુંદડી અર્પણ કરી સન્‍માન કરાયું હતું. આ તકે પુ.શેરનાથ બાપુ સાથે દિલીપભાઇ વાંક, રમણીકભાઇ ખાચર, જશકુભાઇ ડાંગર, પીએસઆઇ જે.એમ.વાળા સહીતના સેવક સમુદાય પાસે રહયો હતો અને દર્શનનો લાભ પણ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ  મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:34 pm IST)