અમરેલીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ થનગનાટ રાસ રમઝટ-૨૦૨૨
ભારતીય સંસ્કૃતિના જતન સાથે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા :વિશાળ મેદાન, સંપૂર્ણ સુરક્ષા અને ઈનામોની વણઝારઃ આયોજનને આખરી ઓપ આપતા યુવા માર્ગદર્શક ડેની રામાણી, સંજય (ચંદુ) રામાણી
(અરવિંદ નિર્મળ દ્વારા), અમરેલી, તા.૨૩: પ્રાચિન અને પરંપરાગત નવરાત્રીનું આયોજન કરતા સુખનાથ મંદિર ચોક યુવક મંડળ હરવર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવતા રહયા છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવાની તડામાર તૈયારી યુવા માર્ગદર્શક ડેની રામાણી, સંજય (ચંદુ) રામાણી સહિત યુવાનોની ટીમ દ્વારા કરવામાં આવી છે.
લાઠી રોડ ખાતે તુલસી પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ ‘થનગનાટ રાસ રમઝટ-૨૦૨૨'નું આયોજન કરવામાં આવેલ છે. વિશાળ મેદાન, સંપૂર્ણ સુરક્ષા, સાત્વિક ખાણી- પીણીની વ્યવસ્થાઓ અને ખેલૈયાઓ માટે અઢળક ઈનામોની વણઝાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.