News of Friday, 23rd September 2022
મોરબીના પરશુરામ ધામમાં સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે શાંતિયજ્ઞ
મોરબી તા ૨૩ : શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું કૈલાશગમન થયેલ છે ત્યારે તેમના આત્માના શાંતિ અર્થે મોરબીના પરશુરામ ધામ ખાતે તા. ૨૫ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે શાંતિયજ્ઞ અને સાંજે ૬ થી ૭ કલાકે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પરશુરામધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાની યાદીમાં જણાવ્યું છે.
(11:39 am IST)