સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

રાજુલા ચેમ્‍બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારો

કાર્યકારી પ્રમુખ તરીકે મનીષભાઈ વાળા અને ગૌરાંગ મહેતાની નિમણૂંક

રાજુલા તા. ૨૩ : તાજેતરમાં થોડા દિવસો પહેલા રાજુલા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી બકુલભાઈ વોરાએ અગમ્‍ય કારણસર અચાનક જ રાજીનામું આપેલ હતું.  જેથી ચેમ્‍બર ઓફ કોમર્સની કામગીરીમાં તકલીફો પડતી હતી.  માટે હાલ તુરંત કાર્યકારી હોદ્દેદારોની નિમણૂક કરી છે. જેમાં રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ચેમ્‍બર ઓફ કોમર્સના ચાલુ હોદ્દેદારો અને વેપારીઓની એક મિટિંગ મળી હતી. તેમાં હાલ કાર્યકારી હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવે તેવું નક્કી થયું. જેમાં પ્રમુખ તરીકે મનીષ ઓધવજીભાઈ વાળા, ગૌરાંગભાઈ બી. મહેતા, ઉપમુખ તરીકે જીગ્નેશ ત્રિવેદી અને કલ્‍પેશ પરમાર મંત્રી તરીકે કશ્‍યપ ડી પારેખ અને ખજાનચી તરીકે મેહુલ હરિયાણી સહિત યુવાનોની કાર્યકારી હોદ્દેદારો તરીકે સર્વ સંમતિ થી નિમણૂક કરવામાં આવી. જ્‍યારે ચેમ્‍બર ઓફ કોમર્સના સલાહકાર બોર્ડમાં ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા અને સહકારી આગેવાન સંઘના પ્રમુખ યાર્ડના ડિરેક્‍ટર અને યાર્ડના પૂર્વ પ્રમુખ એવા જીગ્નેશ પટેલ અને વોહરા સમાજના આગેવાન કુતુબભાઈ કપાસી તેમજ જય શ્રી મેડિકલ વાળા જયેન્‍દ્રભાઈની વરણી કરવામાં આવેલ છે.

(11:34 am IST)