સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

હળવદનાં ધનાળાની સીમમાં વાડી માલિકે મુકેલા ઝટકા કરંટથી મધ્‍યપ્રદેશના શ્રમિકનું મોત

પેઢી આંબા તૈયાર કરવા અંગે સરકારનો પરિપત્ર

હળવદ,તા.૨૩ : હળવદ તાલુકાના ધનાળા ગામે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા કરંટને અડકી જતા મધ્‍યપ્રદેશના ખેત શ્રમિકનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જયેશભાઇ વાસુદેવભાઇ દલવાડીની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્‍ય-પ્રદેશના અલીરાજપુર જિલ્લાના બદલા દુધીયાવડ ફળીયુના રહેવાસી વિક્રમભાઇ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઇ ડાવર, ઉ.૩૩ નામનો યુવાન વાડીમાં આટો મારતો હતો ત્‍યારે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા તારને અડકી જતા કરંટ લાગતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(2:15 pm IST)