મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.
મોરબી :જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા તા. ૨૫ ને રવિવારના રોજ બપોરે ૦૨ : ૩૦ કલાકે શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, નવાડેલા રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોચી સમાજના કે.જી. તથા ધોરણ ૧ થી ૧૨ માં ૬૦ ટકાથી વધુ ટકા મેળવેલ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવશે
આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના મહંત દામજી ભગત તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તેમજ પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે.
આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડની યાદીમાં જણાવ્યું છે.