પીજીવીસીએલના કોર્પોરેટ ઓફીસના અધિક્ષક ઇજનેર તલસાણીયા સામે પગલા લેવાશેઃ રીપોર્ટની જોવાતી રાહ
સુરેન્દ્રનગર હતા ત્યારે બોગસ ગ્રાહકોના નામે બીલો બનાવી નાંખ્યા હતા
રાજકોટ, તા., ૨૩: પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસમાં સુરેન્દ્રનગર થી બદલી કરી મુકાયેલા અને ટેકનીકલ વિભાગના અધિક્ષક ઇજનેર એ.એચ.તલસાણીયાએ ૧ર૯ં૦મી ગ્રાહકોના બોગસ બીલ બનાવવામાં કૌભાંડ પ્રકરણમાં તલસાણીયા સામે આકરા પગલા તોળાઇ રહયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.દરમિયાન આ પ્રકરણ અંગે પીજીવીસીએલના એમડી શ્રી ધીમંતકુમાર વ્યાસે અકિલાને જણાવેલ કે ઉપરી લેવલે તપાસ ચાલતી હશે. હજુ રીપોર્ટ નથી આવ્યો. પરંતુ રીપોર્ટ આવ્યા બાદ તલસાણીયા સામે પગલા લેવાશે.અત્રે એ નોંધનીય છે કે ઇજનેર તલસાણીયા સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ કરી ૭૦ થી ૭પ લાખના કૌભાંડ અંગે હરદીપસિંહ રાણાએ ફરીયાદ કરી હતી. આ પછી ત્રણ અધિકારીઓની કમીટીએ તપાસ હાથ ધરી હતી. તલસાણીયાએ ટ્રાન્સફોર્મરમાં પીલર રુફ વર્ક માટે બે ડઝન વર્કઓર્ડર કર્યા, તેમાંથી દોઢ ડઝન કોન્ટ્રકટરના બીલ મંજુર કર્યા, આ તમામની ડેટા એન્ટ્રી તપાસતા ભોપાળુ બહાર આવ્યું હતું.