સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

બિલખામાં પૂ.ગોપાલાનંદ બાપુની પ્રથમ નિર્વાણતિથી નિમીતે સમાધી પુજન, ભંડારો

જુનાગઢ : અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ બ્રહ્મલીન સંત પૂ. ગોપાલાનંદ બાપુની પ્રથમ નિર્વાણતીથી નિમીતે બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે શનીવારે રાત્રે ૯ કલાકે ભજનસંધ્યાના કાર્યક્રમમાં રાજભા ગઢવી એ સંતવાણીના સુરો રેલાવ્યા હતા, તેમજ શનિવારે સવારે ૯ કલાકે સમાધી પુજન અને ૧૧ કલાકે ધર્મસભા અને સાધુસંતોનો ભંડારો યોજાયો હતો, જેમાં પંચઅગ્નિ અખાડાના સભાપતિ અને ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પુ.  મુકતાનંદબાપુ, મહામંડલેશ્વર કૈલાશનંદબાપુ, અંબુજાનદાસબાપુ, તેમજ સતાધારના પૂ. વિજયબાપુ, હરીહરાનંદ ભારતીજી શેરનાથબાપુ, તનસુખગીરીબાપુ, મેઘાનંદજીબાપુ, તેમજ ગિરનાર મંડળના સંતો મહંતો ઉપસ્થિત રહયા હતા. અને ભંડારામાં ભોજન પ્રસાદ લીધો હતો અને આ સંતોને પૂ. મુકતાન઼દબાપુ દ્વારા ભેટ પુજાપણ અર્પણ કરવામાં આવેલ(અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:12 pm IST)