News of Monday, 23rd September 2019
કલ્યાણપુરના શિક્ષક પરિવારને ચેક અર્પણ
દેવભૂમિ દ્વારકાઃકલ્યાણપુર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયકુમાર વારોતરીયાનું ચાલુ ફરજ દરમ્યાન આકસ્મિક અવસાન થયેલ હતું. તેમની પૂરા પગારમાં નિમણુંક વર્ષ ૨૦૦૫ બાદ થયેલ હોય, તેઓ નવવર્ધિત પેન્શન યોજનામાં જોડાયેલ હતા. સ્વ. વિજયભાઇના વારસદાર જરૂરી આધારો સાથે તિજોરી કચેરીમાં ઉપસ્થિત થયેલ હતા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના વરદ્ હસ્તે સ્વ. વિજયભાઇના વારસદારને રૂ.૪,૧૯,૫૮૦/-નો ચેક આપવામાં આવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.
(12:16 pm IST)