સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

બગસરાની સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળની બ્રાંચનો ભેસાણ ખાતે પ્રવેશ

જૂનાગઢ ડી.બેંકના ચેરમેન રાજાણી, હર્ષદભાઇ રીબડીયાના હસ્તે ઉદઘાટન થયું

બગસરા તા.૨૩ : બગસરા શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ને નવા નામ સાથે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ભેસાણ ખાતે નવી બ્રાન્ચ શરૂ કરવા માં આવી જેમાં અધ્યક્ષ સ્થાને ગુજકોમાશોલ ના ચેરમેન દિલીપભાઈ સંદ્યાણી તેમજ ઉદ્દદ્યાટન જૂનાગઢ ડિસ્ટ્રીક બેન્ક ના ચેરમેન એલ.ટી.રાજાણી અને વિસાવદર-ભેસાણ ના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા ના હસ્તે ઉદ્દદ્યાટન કરવા આવ્યું હતું જયારે મુખ્યમહેમાન તરીકે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, સહિત આગેવાનો  ભેસાણ ખાતે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી નું લોકાર્પણ કરવા માં આવ્યું આ પ્રસંગે મંડળી ના ચેરમેન અનિલભાઈ વેકરીયા અને મંત્રી દિપકભાઈ આંબલીયા,જન.એમ ડી જયસુખભાઈ ગોંડલીયા,ભેસાણ બ્રાન્ચ એમ.ડી. પ્રવીણભાઈ સોજીત્રા સહિત શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ના શેરધારકો તેમજ આમંત્રિત મહેમાનો સહિત ૧૫૦૦થી વધુ લોકો આ લોકાર્પણ માં ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંડળી ના ચેરમેન દ્વારા ભેસાણ તાલુકા ના ખેડૂતો ને પાક ધિરાણ નવા જુના કરવા માટે ૦્રુએ ૧૫ દિવસ માટે લોન કરી આપવા માં આવશે તેમજ રૂ.૫૧ લાખ ની ફિકસ જૂનાગઢ ડિસ્ટ્રીક કો.બેન્ક માં મુકવા માં આવી તેમાં ભેસાણ ગ્રામ પંચાયત ને વૃક્ષરોપણ કરવા માટે રૂ. ૧૧૦૦૦ નો ચેક અર્પણ કરવા માં આવ્યો હતો તેમજ બગસરા વિશ્વ વાત્સલય માનવ સેવા ટ્રસ્ટ ને નેચરોથેરાપી અને કુદરતી ઉપચાર નિદાન અને સારવાર ના કેમ્પ માટે રૂ. ૬૦૦૦નો ચેક આપવા માં આવ્યો તેમજ આ વર્ષ માં મંડળી ના સભાસદો ને ત્યાં દીકરી નો જન્મ થયેલ હોઈ તેના વધામણાં કરવા માં આવ્યા જેમાં ૧૦(દસ) જન્મેલી દીકરી ઓના વાલી ને દરેક દીકરી ને રૂ.૧૧૦૦૦ નો બોન્ડ નું વિતરણ કરવા આવ્યું હતુ

(12:10 pm IST)