સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

પાલીતાણાના આદપુર ગામમાં ન્હાવા પડેલા ૪માંથી ર મિત્રોના ડુબી જવાથી મોત

ભાવનગર, તા. ર૩ : ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામે આવેલ થાનવડ તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી જીજ્ઞેષગીરી શ્રવણગીરી ગોસ્વામી ઉ.વ.ર૦ અને ચિરાગ નીતીનભાઇ મકવાણા ઉ.વ.૧૯ ના પાણીમાં ડુબી જતા મોત નિપજયા હતા. જયારે બે મિત્રોનો બચાવ થયો હતો.

બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી ગયા હતા. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર ભરતસિંહ ખુમાણ બનાવ સ્થળે દોડી ગયા હતાં અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી પાલીતાણા પંથકમાં શોકની લાગણી ફલાઇ ગઇ હતી.

(11:50 am IST)