સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરે 700 જેટલી બોટો દરિયામાંથી કિનારે પરત

દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો કિનારે બોટો લઈ પરત ફર્યા

અમરેલી:હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી .સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા  આટલી માત્રામાં બોટો લાંગરી છે જેથી જાફરાબાદ બંદર બોટોથી ઉભરાયું. છે 

(8:41 am IST)