મોરબીમાં ૧૧ ચોરી કેસમાં ઝડપાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજુર
મોરબ : મોરબી જીલ્લાના વિવિધ સ્થળોએ તેમજ રાજકોટમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચાર ઈસમો મોરબીમાંથી ઝડપાયા બાદ આરોપીઓને તાલુકા પોલીસને સોપવામાં આવ્યા છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આરોપીને છ દિવસના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પી આઈ આર.ટી.વ્યાસની ટીમ અને મોરબી સીટી બી ડીવીઝન પીએસઆઈ એ.બી.જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગેંડા સર્કલ પાસેથી ઠાકોરભાઇ ગેદીંયાભાઇ દહેતીયા/આદીવાસી, મોતીયાસીંગ ઉર્ફે મુકલો ઉર્ફે મુકેશ છગનભાઇ અજનાલ/ આદીવાસી, રેમો ગુમાનભાઇ પચાયા/ આદીવાસી અને લાલસીંગ નારસીંગ અજનાલ/આદીવાસીએ ચાર ઇસમોને ઝડપી લઈને ઘરફોડ ચોરી કરવાના સાધનો, ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી આવતા આરોપીઓની પૂછપરછ કરતા મોરબી જીલ્લામાં અને રાજકોટમાં કુલ ૧૧ સ્થળે ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી તો ઝડપાયેલા આરોપી પૈકીના બે આરોપીઓ અન્ય પાંચ રાજ્યમાં ચોરીને અંજામ આપી ચુક્યા હોય જે આરોપીઓએ મોરબી શહેરના વિવિધ પોલીસ મથકોમાં ચોરીને અંજામ આપ્યો હોય જેને પગલે ચારેય આરોપીઓને તાલુકા પોલીસને સોપવામાં આવ્યા હતા અને તાલુકા પીએસઆઈ એન.જે. રાણાએ આરોપીને કોર્ટમાં રજુ કરતા તમામ આરોપ્નીએ આગામી તા. ૨૮ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે જે રિમાન્ડ દરમિયાન આરોપીઓ અન્ય ચોરીના ગુન્હાઓને અંજામ આપ્યો હતો કે કેમ તેમજ ચોરી થયેલો મુદામાલ રીકવર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરશે