પોરબંદર માલધારી સમાજના પ્રમુખ સહિત ર૦૦ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા
જાતિ પ્રમાણપત્ર સહિત સમાજના અન્ય કામો થતા ન હોય માલધારી સમાજમાં અસંતોષ : પ્રમુખ ભીમાભાઇ દાનાભાઇ થોડા સમય પહેલા જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન કરેલ હતું
પોરબંદર : પોરબંદર માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઇ દાનાભાઇ મકાવણા સહિત 200 કાર્યકરોએ ભાજપ પક્ષ માંથી રાજીનામાં ધરી દીધા છે. અનુસૂચિત જનજાતિ ના દાખલા નહીં મળતા અને સમાજ ના કામો સહિતના અનેક અસંતોષ થતા ભાજપમાંથી રાજીનામાં ધરી દીધા છે.
ભીમાભાઇ મકવાણા અને તેના પરીવાર ના સભ્યો સહિત 200 કાર્યકરોએ પક્ષ માંથી રાજીનામાં ધર્યા છે.
અગાઉ ભીમાભાઇ પક્ષમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહી ચૂકેલા હતા અને હાલ તેઓ માલધારી સમાજ ના પ્રમુખ છે થોડા સમય પહેલા અનુસૂચિત જનજાતિ ના પ્રમાણપત્રો મામલે દિવસો સુધી આંદોલન કરેલ હતું. આંદોલન દરમિયાન અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રો સરકાર આપશે તેવું આશ્વાસન મળેલ અને આંદોલન સમેટી લીધેલ
હજુ સુધી પ્રમાણપત્રો નહીં મળતા અને સમાજના કામો નહીં થતા હોવાથી ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દા પર થી 200 કાર્યકરો સાથે રાજીનામાં આપ્યા.