સાવરકુંડલામાં વાવાઝોડાની સહાય મુદ્દે 'આપ'નો તાલુકા પંચાયતને ઘેરાવ
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૩ :.. શહેર અને ગ્રામ્ય પંથકમાં તૌકત વાવાઝોડામાં થયેલ નુકશાનીની સહાય નહી મળતા ગઇકાલે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત ખાતે ટી. ડી. ઓ. ને રજૂઆત કરી તાલુકા પંચાયતને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આપના કાર્યકર્તા મહેશ ચોડવડીયા, વિશાલ ડોબરીયા, ભરત નાકરાણી, સાથે મોટી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે કાર્યકરો આવી પહોંચ્યા હતાં. જયાં ગ્રામ્ય વિસ્તારના લોકોને વાવાઝોડામાં ભારે નુકશાન પહોંચ્યુ હોવા છતાં મળવા પાત્ર સહાય મળી ન હોવાની જોરદાર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો ઘસી આવતા સીટી પોલીસ પણ સ્થળ પર ઘસી ગઇ હતી અને કાર્યકરોને સમજાવી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાંથી દૂર કર્યા હતાં. જો કે આ સમયે પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઉગ્ર દલીલબાજી થઇ ગઇ હતી.